ગુજરાત સરકાર દ્વારા તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાજય, જિલ્લા તથા પ્રાંત કક્ષાએ વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકાભિમુખના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને પ્રાંત કક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે જેમાં સભ્યશ્રીઓને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ સંદર્ભે જરૂરી કામગીરી ફાળવાઈ છે. તેમજ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ગોઠવવા જણાવાયું છે.


