છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સટુન ગામના ખેડૂતો અને ગામના આગેવાનો દ્વારા નિવાસી અધિક કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું, આવેદન પત્ર માં જણાવેલ હતું કે છેલ્લા અઢી વરસથી ગામ લોકને જમીન જે સરકારી તંત્ર એ હરફ કરી છે અને એ જમીન લઈ લીધી છે જેના ઉપર સરકારી સ્કૂલ અને પોલીસ સ્ટેશન નું બાંધકામ થયું છે ખરેખર આ જમીન ગામના વડીલો પાર્જિત બાપ દાદા ઓની છે જેમાં ગામ લોકો માલિકે હક આજે પણ ધરાવે છે જેની મહેસુલ જમીન પર આજે પણ ગામ લોકો ભરે છે તેવું આવેદન પત્ર માં જણાવેલ હતું, ત્યારે ગામલોકો દ્વારા સૂત્રોરચાર કરી નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


