ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગુજરાત ઇકોલોજી કમીશન ગાંધીનગરના મેમ્બર સેક્રેટરી સાહેબ તેમજ સિનિયર મેનેજર નિશ્ચલભાઈ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ અને મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટનાં સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રૂપે જુનાગઢના વડાલ ગામ મુકામે તા. ૧૮/૦૬/૨૦૨૨ નાં રોજ “પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી” અંગેનો ૧ દિવસનો તાલીમ કાર્યક્રમ યોજયેલ જેમાં ઉર્જા, પાણી, જમીન, સ્વચ્છતા, પ્રદૂષણના વિવિધ પ્રકારો તથા કારણો, ઉપાયો, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, હવા પ્રદૂષણ ઘટાડવા અંગેના ઉપાયો તેમજ પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી અંગે પ્રોજેક્ટર તથા વિવિધ રમતોના માધ્યમ દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવેલ તેમજ તાલીમ સંબંધીત માહિતી કીટ પૂરી પાડવામાં આવેલ આ તકે ગામના સરપંચ મનસુખભાઇ વઘેરા, PHCના સુપરવાઇઝર કે.ડી.સોલંકી તેમજ PHCના FHW તથા આશા વર્કરો, આંગણવાડી વર્કરો, તલાટિ મંત્રી રાજેશભાઈ ભાટિયા, ગ્રામ પંચાયત સદસ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ સમગ્ર તાલીમનું સંચાલન સંસ્થાના શ્રી રાજેનભાઇ કારીયા, પરેશભાઈ ઠક્કર, જયેન્દ્રભાઈ અને સોહમભાઇ તેમજ અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.


