જૂનાગઢ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો તા.૧૫ ઓક્ટોબરના સવારે ૧૦ કલાકે કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરિયમ હોલ ખાતે પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્ય મંત્રીશ્રી દેવાભાઇ માલમના અધ્યક્ષસ્થાને યોજાશે.
જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨ પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ મામલના અધ્યક્ષસ્થાને તા.૧૫/૧૦/૨૦૨૨ સવારે ૧૦ કલાકે કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરિયમ હોલ ખાતે યોજાશે. આ તકે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયા, મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર તથા અતિથિ વિશેષ તરીકે સંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, રમેશભાઇ ધડુક તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
