સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
—————————————————————-છેલ્લા કેટલાય સમયથી ગાત્રો થીજાવતી ઠંડીથી માનવ જીવનથી લઇ મૂંગા અબોલ જીવોનું જીવન પણ પ્રભાવિત થયેલ જોવા મળે છે ત્યારે હાથસણી ગામે રામજીમંદિર ચોક વિસ્તાર માં સેવાભાવી લોકો દ્રારા મૂંગા અબોલ જીવો તીવ્ર ઠંડી થી કંઈક અંશે રાહત મેળવી શકે તે માટે જાહેરમાં તાપણું સળગાવી દે છે.જે મોડી રાત સુધી ચાલતું હોયત્યારે ઠંડી સામે રાહત મેળવવા ગાયો પણ આજુબાજુમાં ગોઠવાઈને ઠંડીના પ્રકોપથી રાહત મેળવે છે.


