Gujarat

જામનગર જિલ્લાના ખેડૂતો ઓછા ખર્ચે સજીવ ખેતી કરી બમણી આવક મેળવી રહ્યા છે

જન્મ આપનારી માતા અને જન્મ પછી માતા તથા બાળકનું ભારણપોષણ કરનાર ધરતી માતા કરતાં વિશ્વમાં વધુ શ્રેષ્ઠ કોણ હોઇ શકે? અથર્વવેદમાં કહેવામાં આવ્યું છે કે माता भूमि पुत्रोहम पृथिव्या: એટલે કે ધરતી આપણી માતા છે અને આપણે તેમના પુત્ર છીએ. માટે આપણે સૌએ ધરતીની રક્ષા કરવી જોઈએ. જેથી આવનારી પેઢીનું પણ સ્વાસ્થ્ય સારું રહે. જમીનની ફળદ્રુફતા વધારવા માટે રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાનો ઉપયોગ ટાળીને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા પણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. અને સજીવ ખેતી અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે. જામનગર જિલ્લાના ખેડૂતો પણ આ શિબિરોમાં ભાગ લઈને સજીવ ખેતી તરફ વળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *