નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાફેશ્વર પાસેથી છેક દાહોદના દક્ષિણમાં આવેલા છેક છેવાડાના ૨૮૫ ગામ અને એક નગર સુધી પહોંચતા કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત, આ યોજનાથી છોટા ઉદેપુરના ૫૮ ગામો અને ૧ નગરને શુદ્ધ પાણી મળ્યું છે. રાજ્ય સરકારના આ મેગા પ્રોજેક્ટ – હાફેશ્વર યોજના થકી આદીજાતિ બહુલ વસ્તી ધરાવતા કુલ ૩૪૩ ગામો તેમજ બે નગરની ૧૨.૪૮ લાખની વસ્તીની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલે દાહોદનાં ખરોડ ખાતેથી આ યોજનાનું લોકાર્પણ કરશે.
વી.ઓ. નર્મદા રીવર બેઝીન હાફેશ્વર આધારિત જુથ પાણી પુરવઠા યોજનામાં છોટાઉદેપુરનાં કવાંટ તાલુકામાં આવેલા હાફેશ્વર નજીક નર્મદા નદીના બેઝીનમાં ઉપલબ્ધ જળસંગ્રહનો ઉપયોગ કરી દાહોદનાં દક્ષિણ ભાગમાં દાહોદ તાલુકાના ૪૯ ગામ, ગરબાડાના ૩૪ ગામ, લીમખેડાના ૩૩ ગામો, ધાનપુરના ૯૦ ગામો, દેવગઢ બારીયાના ૭૯ ગામો એમ કુલ ૨૮૫ દાહોદનાં ગામો તેમજ દેવગઢ બારીયા નગરને તેમજ છોટાઉદેપુરના ૫૮ ગામો તથા ૧ નગર તેમ કુલ ૩૪૩ ગામ અને ૨ નગરની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ રાજ્ય સરકારે આણ્યો છે.
હાફેશ્વર યોજના અંતર્ગત બલ્કપાઇપલાઇન તેમજ તે આધારિત ૧૨ જુથ પાણી પુરવઠા યોજનાની જુદી જુદી ૧૨ પાણી પુરવઠા યોજનાઓને ૧૧ પેકેજોમાં વિભાજીત કરી રૂ. ૮૩૯.૮૭ કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હાફેશ્વર યોજના અંતર્ગત છોટાઉદેપુરના હાફેશ્વર પાસે ઇન્ટેક સ્ટ્રકચર ઉભું કરી પાણી પંમ્પ કરી બૂસ્ટીંગ સ્ટેશન દ્વારા સ્ટોરેજ કરી 1560 કિમિ લાંબી પાઇપલાઇન ના મારફતે પાણી વહન કરવામાં આવે છે. જેમાં છોટાઉદેપુરના ૫૮ ગામ તેમજ ૧ નગર અને દાહોદ જિલ્લાના 285 ગામો અને દેવગઢ બારીયા શહેર ને પીવાનું શુદ્ધ પાણી પહોંચશે. છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારમાં યોજના નોં લાભ મળી રહ્યો છે જ્યારે સંપૂર્ણ યોજના હવે સંપન્ન થતા દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના ગામોમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની યોજના નું લોકાર્પણ વડા પ્રધાન કરવા જઈ રહ્યા છે ત્યારે લોકોમાં ખુશી ની લહેર વ્યાપી ગઈ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


