Gujarat

પાટણના ખાન સરોવરમાં યુવાને મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું

પાટણ
પાટણના ખાન સરોવર ખાતે એક આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર છલાંગ મારી છે તેવા સમાચાર મળ્યા હતા. તેમજ તપાસ કરતાં આ યુવાનની મોટર સાયકલ ખાન સરોવર ખાતે પડેલી મળી હતી. જેથી અગ્રણીઓએ નગરપાલિકાને જાણ કરતાં નગરપાલિકાના ફાયર ફાઈટરના તરવૈયાઓ સહિત કુબેરેશ્વર મહાદેવના શિવ ભક્તોએ પણ જહેમત ઉઠાવી હતી અને રાત્રે ૮થી ૧ વાગ્યા સુધી યુવાનની શોધખોળ કરી હતી, પરંતુ સફળતા મળી નહોતી. ત્યારે આજે શનિવારે સવારે પાટણ પાલિકાના ફાયર ફાઈટરની ટીમને ભરત ભાટિયાએ ટેલિફોનિક જાણ કરતાં પાટણ ફાયર ફાઇટરના તરવૈયાઓએ ફરી ખાનસરોવર ખાતે યુવાનની શોધખોળ શરૂ કરતા યુવાની બોડી દેખાઈ હતી. જેને નગરપાલિકાના તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. યુવાન ગુમડા મસ્જિદ ખાતે રહેતો રાજપૂત રોહિત તખતસિંહ ઉમર વર્ષ ૨૨ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ શરૂ તપાસ કરી લાશને પીએમ માટે ખસેડી હતી.પાટણના ખાન સરોવરમાં એક યુવાને કોઈ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું. તેની લાશને પાલિકાના ફાયર વિભાગ દ્વારા શોધખોળ કર્યા બાદ શનિવારે સવારે બહાર કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *