જાણવા મુજબ માંગરોળ ના કેશોદ ચોકડી વિસ્તારમાં ૪ ખુટીયા (નંદી) ઓ ઉપર ખુબજ નિર્દય રીતે એસિડ એટેક કરવામાં આવ્યો છે.
૪ મુંગા અબોલ જીવો ઉપર એસિડ દ્વારા એટેક કરાયા હોવાના બનાવથી પશુ પ્રેમીઓ મા રોષ ભભુકી ઉઠયો..
૪ પશુઓ ઓર એટેક કરવામાં આવ્યો છે જેમાંથી 3 ને ગૌશાળા દવારા અને પશુ દવાખાના માં સારવાર આપવામાં આવી હતી.
એક નંદી ને વધુ સારવાર માટે કુકસવાડા માં ગૌ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલાવમા આવેલ.
જ્યારે આવું કૃત્ય કરનારા લોકો સામે કડક કાર્યવાહી થાય અને કડક સજા થાય તેવું પશુ પ્રેમીઓ દ્વારા માંગ કરી રહયા છે માંગરોળ ગૌરક્ષા સેના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા મા આવશે,,,
રીપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ


