Gujarat

લાયકાત ધરાવતા પુરુષ ઉમેદવાર તા.૧૨ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે  

ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ દ્વારા સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં હોવાથી જામનગર જિલ્લા ખાતે તાલીમવર્ગનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ વર્ગના સમગ્ર સંચાલન માટે ૩૦ દિવસ માટે કરાર આધારિત કામગીરી માટે રૂ.૨૦,૦૦૦ના ફીક્સ વેતનથી કોર્ડીનેટરની નિમણુંક કરવામાં આવનાર છે. તે માટે સંરક્ષણદળ/પોલીસ/તાલીમ અને રોજગાર ખાતાના સંલગ્ન કામગીરીના અનુભવી અથવા કોઇપણ પ્રવાહમાં સ્નાતક થયેલ પુરુષ ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. આ માટેના અરજી પત્રકો રોજગાર કચેરી, જામનગર ખાતેથી મેળવી સંપૂર્ણ રીતે ભરી જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે રોજગાર કચેરી જામનગર ખાતે તા.૧૨/૦૮/૨૦૨૨ સુધી જમા કરાવી શકશે. આ પછી આવેલ અરજી પત્રકો સ્વીકારવામાં આવશે નહી તેમ રોજગાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *