ગિરસોમનાથ જિલ્લા ગિરગઢડાના જુનીદ્રોણ ખાતે આવેલ સોનેરી હનુમાન આશ્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગિરસોમનાથ જીલ્લા નુ એકદિવસીય વર્ગ નુ આયોજન કરાયુ પ્રથમ આશ્રમ ના મહંતશ્રી બાદલગિરી બાપુ ના હસ્તે દિપપ્રાગટ્ય કરી આવેલ તમામ હોદ્દેદારો કાર્યકરો ને હિન્દુત્વ ના કાર્યોમા અગ્રેસર રહેવા આર્શિવચન આપવામા આવ્યા.
આ વર્ગમાં ઉના ગિરગઢડા સુત્રાપાડા માંગરોળ સહીત તમામ તાલુકા થી ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના હોદ્દેદારો અને કાર્યકર્તા યુવાનોને વિહિપ વિભાગીય અધિકારી ભુપતભાઈ વિઠ્ઠલાણી, જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણીયા, જીલ્લા સહમંત્રી નિપુલભાઈ શાહ દ્વારા અલગઅલગ સત્રો લઈ આગામી આવનારા કાર્યક્રમ ની તમામ માહિતીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ ની કાર્ય પદ્ધતિઓ સાથે બૌદ્ધિક માર્ગદર્શન આપવામા આવ્યુ આ સાથે આરએસએસ ના અધિકારી કેતનભાઈ તેમજ બજરંગ દળ જિલ્લા પ્રમુખ પાર્થ રુપારેલીયા દ્વારા તમામ કાર્યકર્તાઓ ને કસરત જુડો કરાટે રમત ગમત જેવુ શારીરીક માર્ગદર્શન અપાયુ આપવામાં આવ્યુ હતુ,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

