ગીરગઢડાના ધોકડવા ગામે સ્વ અરજણભાઇ આતાભાઇ બલદાણીયા પરીવાર દ્વારા આંતરરાષ્ટ્રીય વક્તા ડો.મહાદેવ પ્રસાદ શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ આયોજન કરવામાં આવ્યું. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ધોકડવા ગામમાં ધામધુમથી પોથી યાત્રા નિકળી હતી. જેમાં સમસ્ત ધોકડવા ગામ લોકો મા જોડાયા હતા. અને આ પોથીયાત્રામાં આહિર સમાજ પોતાના ટૈડીસનલ ડ્રેસ પહેરીને રાસ ગરબા તેમજ ધુન ભજનમાં ડિજેના તાલે ઝુમી ઉઠ્યા હતા.


