ભરૂચની જે.પી.કોલેજના નવા સેમીનાર હોલ ખાતે આજરોજ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા ઉત્સવ અંતર્ગત યુવા સંવાદ યોજાયો હતો. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડિયા@2047 અંગે સંવાદ યોજાયો હતો.
આ યુવા સંવાદમાં જે.પી.કોલેજના આચાર્ય ડો.નીતિન પટેલ, નહેરુ યુવા કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર સુબ્રતા ઘોષ, ઝઘડિયા ગવર્મેન્ટ કોલેજના આચાર્ય ડો.જયેશ પુજારા અને જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝૈયનુલ સૈયદ સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


