સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
.
———————————————————————
માનવસેવા એ જ પ્રભુસેવાનો સંદેશ સમગ્ર માનવજાતમાં પ્રસરે એવી ભાવના સાથે લોકોમા ધર્મ ભાવના પ્રબળ બને તે હેતુથી કબીર સાહેબનો સંદેશ હ્રદયમાં ધરીને સેવા કાર્યો કરતી શહેરના સેવા ધામ સમા સાવરકુંડલા શહેરમાં આવેલ કબીર ટેકરી ખાતે કબીર ટેકરીનાં મહંત શ્રી નારણદાસ સાહેબે આવતીકાલે હનુમાન જયંતિ અને પુનમ નિમિત્તે સાંજે છ વાગ્યે સર્વે સેવકગણોને પ્રસાદ લેવા પધારવાનું નિમંત્રણ પાઠવેલ છે. આ પાવન પ્રસંગે ભજન, સત્સંગનું આયોજન પણ કરવામાં આવેલ છે.


