Maharashtra

આઈપીએલમાં મહેન્દ્રસિંહ ધોનીને ચેન્નાઈ ટીમમાં કેવી રીતે આવ્યો તે કહાની

મુંબઈ
ધોનીએ બેટ્‌સમેન, કીપર અને લીડર તરીકે ચેન્નાઈને ઉંચાઈ પર પહોંચાડ્યું છે. પ્રશંસકો ધોની વિના ચેન્નાઈ સુપર કિંગ્સની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે આઈપીએલની પ્રથમ હરાજીમાં એમએસ ધોની મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જઈ શક્યો હોત, પરંતુ સચિનના કારણે આ ફ્રેન્ચાઈઝીએ માહીને ખરીદવાથી પીછેહઠ કરી અને આ અનુભવી ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં આવ્યો. ત્યારબાદ આ ટીમે ૈંઁન્ પર રાજ કર્યું. વાત વર્ષ ૨૦૦૮ની છે જ્યારે ૈંઁન્ની શરૂઆત પહેલા ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. દરેક ટીમ તેમની સાથે આઇકોન પ્લેયર પસંદ કરવા માંગતી હતી. દિલ્હી ડેરડેવિલ્સને જેમ વીરેન્દ્ર સેહવાગને પોતાની ટીમમાં જાેઈતો હતો. પંજાબની ટીમને યુવરાજ જાેઈતો હતો અને એ જ રીતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સચિન તેંડુલકરને ટીમમાં ઈચ્છતી હતી. હરાજી પહેલા આઇકોન ખેલાડીઓ શાસન કરે છે. નિયમ એવો હતો કે આઇકોન ખેલાડીને ટીમના સૌથી મોંઘા ખેલાડી કરતાં ૧૦ ટકા વધુ પૈસા મળશે. ધોની કોઈપણ ટીમનો આઈકોન ખેલાડી નહોતો કારણ કે તેના રાજ્યની કોઈ ટીમ નહોતી. જ્યાં તમામ ટીમ રાજ્યના આઇકોન ખેલાડીને ટીમમાં તેમની સાથે ઇચ્છતી હતી, તો બીજી તરફ ચેન્નાઇ સુપર કિંગ્સનો વિચાર અલગ હતો. ચેન્નાઈને ટીમમાં કોઈ આઈકોન ખેલાડી જાેઈતો નહોતો. તેનો પહેલો અને છેલ્લો ધ્યેય પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને ખરીદવાનો હતો. શ્રીનિવાસને કહ્યું, “તમામ આઇકોન્સ ખેલાડીઓ ઇચ્છતા હતા અને તેમને ટીમના સૌથી વધુ પગાર મેળવનાર ખેલાડી કરતા ૧૦ ટકા વધુ પૈસા મળવાના હતા. તેથી જ્યારે ધોની માટે બોલી લાગી ત્યારે હું કોઈપણ કિંમતે ધોનીને ખરીદવા તૈયાર હતો. ધોનીને ખરીદવા માટે મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે મોટી લડાઈ થઈ હતી. જ્યારે ધોનીની ૧.૫ મિલિયન ડોલરની બોલી લગાવવામાં આવી ત્યારે મને લાગે છે કે મુંબઈને સમજાયું કે તેણે સચિનને ૧.૬૫ મિલિયન ડોલર ચૂકવવા પડશે. તે સમયે ટીમના પર્સમાં પાંચ મિલિયન હતા. મતલબ કે જાે મુંબઈની ટીમે ધોનીને પણ ખરીદ્યો હોત તો પર્સમાંથી ૬૦ ટકા રકમ આ બંને ખેલાડીઓને ખરીદવામાં ખર્ચાઈ ગઈ હોત. તેથી મુંબઈની ટીમ રોકાઈ ગઈ અને અમને ધોની મળ્યો.

MS-Dhoni.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *