Maharashtra

કોર્ટે જેકલિનને ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં વચગાળાના જામીન મંજૂર કરી આપી રાહત

મુંબઈ
૨૦૦ કરોડની છેતરપિંડી કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફનાર્ન્ડિઝને મોટી રાહત મળી છે. અભિનેત્રીને પટિયાલા હાઉસ કોર્ટમાંથી ૫૦ હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. તાજેતરમાં, દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ અભિનેત્રીની ૧૫ કલાક સુધી પૂછપરછ કરી હતી. ઈડ્ઢની પૂછપરછ બાદ, સુકેશ અને જેક્લિન વચ્ચે સંબંધ હોવાનો મજબૂત બન્યો, જેના પછી પટિયાલા કોર્ટે પણ આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો અને જેકલિનને કોર્ટમાં રજૂ કરવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું. જેના પછી જેકલિન આજે કોર્ટમાં હાજર થઈ હતી. ૧૭ ઓગસ્ટે ઈડ્ઢએ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં ૨૦૦ કરોડની રિકવરી કેસમાં જેકલિન પણ આરોપી હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ જેકલિનની મુશ્કેલીઓ વધી ગઈ હતી. જાે કે હવે જેકલિનને કોર્ટમાંથી રાહત મળી છે. તેને વચગાળાના જામીન મળી ગયા છે. જેકલિન ફનાર્ન્ડિઝની ડ્રેસ ડિઝાઈનર લિપાક્ષીની દિલ્હીની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ૨૧ સપ્ટેમ્બરે સાત કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં લિપાક્ષીએ સુકેશ અને જેકલિન વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કબૂલાત કરી છે કે જેકલિનને કપડાં અને ભેટ આપવા માટે સુકેશે તેને ત્રણ કરોડ રૂપિયા આપ્યા હતા. લિપાક્ષી ઈલાવાડીએ એમ પણ કહ્યું હતું કે ચંદ્રશેખરની ધરપકડના સમાચાર પછી, જેકલિન ફનાર્ન્ડિઝે તેની સાથે દરેક સમયે સંબંધ તોડી નાખ્યો હતો. મની લોન્ડ્રિંગ કેસમાં જેકલિન ફનાર્ન્ડિઝની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. જેકલિન ઉપરાંત નોરા ફતેહીની પણ થોડા સમય પહેલા પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં જેકલિન અને નોરા સિવાય ઘણી અભિનેત્રીઓના નામ પણ સામે આવ્યા હતા.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *