મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર અત્યારે સંકટના સમયમાથી પસાર થઇ રહી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે ૩૦ થી ૫૩ જેટલા ધારાસભ્યો સાથે ગુવાહાટી જતા રહ્યા છે. તે કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર ચલાવા નથી માંગતા. તેમની ઇચ્છા છે કે, શિવસેના ભાજપ સાથે મળીને સરકાર બનાવે. આજે મહારાષ્ટ્રમાં ૧ વાગ્યે કેબિનેટની બેઠક મેળશે. એવામાં જાેવાનું એ રહ્યુ કે, આ રાજકીય ભૂકંપ વચ્ચે રાજ્યપાલની ગેરહાજરી મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે.મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીની તબિયત બગડી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મુંબઇની એચએન રિલાયંસ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં દાખલ કવામાં આવ્યા છે. ભગતસિંહ કોશ્યારા કોરોનાના લક્ષણ જણાતા ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટવ આવ્યા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામા આવ્યા હતા. સૂત્રો અનુસાર ભગતસિંહ કોશ્યારીની તબિયત મોડી રાત્રે બગડી હતી. ત્યાર બાદ ત્યર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભગતસિંહ કોશ્યારીની તબિયાત ત્યાર બગડી છે જ્યારે રાજ્યમાં રાજકીય સંકટ ચાલી રહ્યુ છે.


