મુંબઈ
રિદ્ધિમાન સાહા હવે ટીમ ઈન્ડિયા તરફથી રમતા જાેવા નહીં મળે. સમાચાર અનુસાર, રિદ્ધિમાન સાહાની ટેસ્ટ કારકિર્દીનો અંત આવી ગયો છે. ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે આ ખેલાડીને કહ્યું છે કે તે હવે તેની ભવિષ્યની યોજનાઓમાં સામેલ નથી. અહેવાલો અનુસાર, શ્રીલંકા સામે મોહાલીમાં ૪ માર્ચથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવશે નહીં. ઋષભ પંત ટીમ મેનેજમેન્ટનો ફેવરિટ વિકેટ-કીપર છે અને આંધ્ર પ્રદેશનો કેએસ ભરત બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં જાેડાશે, જેણે ન્યૂઝીલેન્ડ સામે કાનપુર ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. “ટીમ મેનેજમેન્ટના પ્રભાવશાળી લોકોએ રિદ્ધિમાનને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ આગળ વધવા માંગે છે અને ઋષભ પંત સાથે થોડો નવો બેક-અપ (વિકલ્પ) તૈયાર કરવા માંગે છે. તેમણે કહ્યું. ‘રિદ્ધિમાનને સમજાવવામાં આવ્યું હતું કે તેને શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરવામાં આવશે નહીં કારણ કે હવે સમય આવી ગયો છે જ્યારે કેએસ ભરતને સિનિયર ટીમ સાથે અનુભવ મેળવવાની તક મળે છે. રિદ્ધિમાન સાહા રણજી ટ્રોફીમાં પણ નહીં રમે. મ્ઝ્રઝ્રૈં સૂત્રોના જણાવ્યા અનુસાર, “કદાચ આ જ કારણ છે કે, રિદ્ધિમાને ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ અભિષેક દાલમિયા અને જાેઈન્ટ સેક્રેટરી સ્નેહાશિષ ગાંગુલીને જાણ કરી છે કે તે ‘અંગત કારણોસર’ આ સિઝનમાં રણજી ટ્રોફી નહીં રમે.” પસંદગીકારો એ તેને પસંદ કર્યો નથી. તે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. સાહાએ ભારત માટે ૪૦ ટેસ્ટમાં ત્રણ સદીની મદદથી ૧૩૫૩ રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ ૩૦ થી ઓછી રહી છે. જાેકે, તેણે વિકેટ પાછળ ૧૦૪ વિકેટ લીધી છે, જેમાં ૯૨ કેચ અને ૧૨ સ્ટમ્પિંગ સામેલ છે. રિદ્ધિમાન સાહાની જેમ અન્ય સિનિયર ખેલાડી ઈશાંત શર્માનું સ્થાન પણ જાેખમમાં હોવાનું કહેવાય છે. ઇશાંત શર્માને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેને એક પણ મેચ ખવડાવવામાં આવ્યો ન હતો. મોહમ્મદ સિરાજ હવે ત્રીજા ફાસ્ટ બોલરની ભૂમિકામાં છે. આ સાથે જ ઉમેશ યાદવ ચોથો ઝડપી બોલર બની ગયો છે. બીજી તરફ ઈશાંત શર્માની ફિટનેસ પણ પહેલા જેવી નથી. તેથી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેને તક મળે છે કે નહીં તે પણ જાેવાનું રહેશે.

