Uttar Pradesh

લખનઉમાં જિલ્લા જેલમાં એકસાથે ૨૬ કેદીઓ ૐૈંફ પોઝીટીવ મળી આવતા વહીવટીતંત્રમાં હલચલ મચી

લખનઉં
જેલમાં એકસાથે કેદીઓના કોરોના પોઝિટિવ હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે, પરંતુ હવે યુપીની બારાબંકી જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાંની જિલ્લા જેલમાં એકસાથે ૨૬ કેદીઓ એચ.આઈ.વી પોઝીટીવ મળી આવ્યા હતા. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગે ૧૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી જેલમાં ત્રણ તબક્કાનો એચ.આઈ.વી કેમ્પ યોજ્યો હતો અને કેદીઓની તપાસ કરી હતી. તે જ સમયે, આ મામલો સામે આવ્યો, જે પછી વહીવટીતંત્રમાં પણ હલચલ મચી ગઈ. હાલ આરોગ્ય વિભાગની ટીમે તમામની તપાસ શરૂ કરી છે. જેલર આલોક શુક્લાએ જણાવ્યું કે જેલમાં ૩૩૦૦ કેદીઓ છે, સ્વાસ્થ્ય વિભાગની ટીમ તમામની તપાસ કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, ૨૬ કેદીઓમાં ૐૈંફ વાયરસ મળી આવ્યો છે, જેમની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમાંથી બે દર્દીઓને એન્ટિ-રેટ્રોવાયરલ સારવાર માટે લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૨૪ દર્દીઓને એઆરટી (ૐૈંફની દવા) આપવામાં આવી રહી છે. આ મામલે બારાબંકીના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. અવધેશ યાદવે કહ્યું કે પોઝિટિવ મળી આવેલા કેદીઓને અન્ય કેદીઓથી અલગ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૦૦ કેદીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૬ પોઝિટિવ મળી આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે તેમનો પ્રયાસ બાકીના કેદીઓની વહેલી તકે તપાસ કરવાનો છે. તે જ સમયે, જેલમાં ૭૦ મહિલા કેદીઓ છે, તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડૉ. યાદવના કહેવા પ્રમાણે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આટલા કેદીઓને કેવી રીતે ચેપ લાગ્યો. તેમાંથી કેટલાક વૃદ્ધ છે, તેમના પરિવારને જાણ કરવામાં આવી છે. આ સાથે તેમની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *