ચીન
ચીનમાં કોરોનાના ૧૬,૪૧૨ નવા કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારે ૧૩,૧૪૬ નવા કેસ નોંધાયા હતા. ચીનમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો માત્ર શાંઘાઈમાં જ દેખાઈ રહ્યો છે કારણ કે અહીંથી ૧૬,૪૧૨ કેસમાંથી ૧૩,૩૫૪ કેસ નોંધાયા છે, જેમાં ૨૫ મિલિયનની વસ્તી ધરાવતું આ વૈશ્વિક નાણાકીય કેન્દ્ર ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કડક લોકડાઉનનો સામનો કરી રહ્યું છે. રવિવારે શાંઘાઈમાં ૯,૦૦૬ કેસ નોંધાયા હતા. શહેરના એક અધિકારીએ મંગળવારે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે શાંઘાઈ શહેરમાં પરિસ્થિતિ “અત્યંત ગંભીર” રહી છે. ગયા અઠવાડિયે શહેર બે તબક્કામાં બંધ રહ્યું હતું. શાંઘાઈમાં કોરોનાના ચેપને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહેલા ચીને દેશભરમાંથી ૧૦,૦૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓને તેના સૌથી મોટા શહેરમાં મોકલ્યા છે. આમાં ૨,૦૦૦થી વધુ લશ્કરી તબીબી કર્મચારીઓનો સમાવેશ થાય છે. શાંઘાઈ સોમવારે બે-તબક્કાના લોકડાઉનના બીજા સપ્તાહમાં પ્રવેશ્યું હોવાથી શહેરના ૨૫ મિલિયન રહેવાસીઓની સામૂહિક કોવિડ -૧૯ તપાસ ચાલી રહી છે. લોકડાઉનનો સમયગાળો વધવાને કારણે ચીનની આર્થિક મૂડી અને મુખ્ય શિપિંગ અને ઉત્પાદન કેન્દ્ર પર સંભવિત નાણાકીય અસર અંગે ચિંતા વધી છે. ર્ંદ્બૈષ્ઠિર્હ મ્છ-૨, જીછઇજી-ર્ઝ્રફ-૨ વાયરસનું અત્યંત ચેપી સ્વરૂપ, તેની શૂન્ય-કોવિડ સ્થિતિ જાળવવા માટે ચીનની વ્યૂહરચનાનું પરીક્ષણ કરી રહ્યું છે. ચીનની વ્યૂહરચનાનો હેતુ તપાસમાં સંક્રમણની પુષ્ટિ કર્યા પછી તમામ સંક્રમિતોને અલગ કરીને વાયરસના ફેલાવાને રોકવાનો છે, પછી ભલે તેમાં લક્ષણો હોય કે ન હોય. શાંઘાઈએ એક પ્રદર્શન હોલ અને અન્ય સંસ્થાઓને મોટા આઈસોલેશન કેન્દ્રોમાં રૂપાંતરિત કરી છે,ભારતમાં જ્યાં કોરોના વાયરસના કેસ ઘટીને એક હજારથી પણ ઓછા થઈ ગયા છે, ચીનમાં કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ચીનમાં સોમવારે ૧૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા, જ્યારે તેના એક દિવસ પહેલા રવિવારે ૧૩ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. દેશની આર્થિક રાજધાની કહેવાતા શાંઘાઈની હાલત સૌથી ખરાબ છે. અહીં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર જવા દેવાની મંજૂરી નથી.
