મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત શિરવાણીયા થી જામ બરવાળા નોન પ્લાન રસ્તા નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું
બાબરા તાલુકાના શિરવાણીયા ગામ થી જામ બરવાળા ગામને જોડતો આશરે 5.6 કિલોમીટરનું નોન પ્લાન રસ્તો 296 લાખના ખર્ચે નવ નિર્માણ બનાવવા માટે ફાળવણી થતાં લાઠી બાબરા દા મનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ના વરદ હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું હતું આ તકે બાબરા તાલુકા પંચાયત સદસ્ય શ્રી માધુભાઈ કટારીયા શિરવાણીયા ગામના સરપંચ શ્રી તેમજ ઉપ સરપંચ શ્રી સહિત આગેવાનો કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ રોડ મંજૂર થતા વર્ષો જૂની પડતી મુશ્કેલી કાયમ માટે દૂર થતા ગ્રામ જનોમાં હર્ષ ની લાગણી પ્રસરી હતી તેમજ ગ્રામ જનો તેમજ આગેવાનો દ્વારા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો
તસ્વીર દીપક કનૈયા બાબરા




