ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એક દિવસ માટે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ તા.૨૫/૦૧/૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧-૩૦ કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પશુ સંવર્ધન(ગીર ગાય) કેન્દ્રની મુલાકાત લેશે અને બાદમાં ૧૩-૩૦ કલાકે ગીરનાર પર્વત પર અંબાજીના દર્શને જશે.
