Gujarat

વેરાવળ માં રૂપારેલિયા પરિવાર ના દ્વારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન.

હાર્દિક કાનાબાર પ્રાચી
વેરાવળ ખાતે સ્વ રસિકલાલ નરસિંહદાસ રૂપારેલિયા પરિવાર દ્વારા તા ૩૦.૩.૨૦૨૩.રામનવમી નાં રોજ લોહાણા વિધાર્થી ભવન વેરાવળ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે આ કથાના વ્યાસથાને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કથાકાર અને લોહાણા મહાજન સારસ્વત ગુરુ શાસ્ત્રી શ્રી કેતનભાઈ આર પેરાણી (માળિયા વાળા) બિરાજી કથાનું સંગીતમય શેલીમાં રસપાન કરાવશે. આ પ્રસંગે પતીતપવની ભાગવત ભગીરથી કથાનું રસપાન કરવા તેમજ પરમ કૃપાળુ પરમાત્માના સાનિધ્યનાં સુખની અનુભૂતિ કરવા સર્વે ને ભાવભર્યું નિમંત્રણ રૂપારેલિયા પરિવાર દ્વારા છે.
પોથીયાત્રા તા.30/3/2023 . ગુરુવાર.બપોરે 3.30 કલાકે શ્રી ગોવર્ધનનાથાજી  હવેલી. શ્રીપાલ ચોક વેરાવળ થી બેન્ટવાઝા સાથ શહેર નાં વિવિધ માર્ગો પરથી લોહાણા વિધાર્થી ભવન ખાતે પહોંચશે . તા.31/3. નાં સાંજે 4. કલાકે શ્રીકપિલ જન્મ. તા.1/4 ને શનિવારે સાંજે 7. કલાકે શિવ વિવાહ. તેમજ રાત્રી નાં 9.30 કલાકે સુંદરકાંડ પાઠ નું આયોજન તેમના સ્વર છે જસ્મીનભાઈ દવે પ્રભાસ પાટણ વાળા.
તા.2/4.રવિવારે સાંજે 7. કલાકે શ્રી નુસિંહ પ્રાગટ્ય તેમજ સાંજે 9.30 કલાકે. પુષ્ટિ ભક્તિ માગીય સત્સંગ સાથે શ્રીનાથજી નાં અસ્ટભાવ દર્શનની ઝાંખી જૂનાગઢ નાં નામી સ્વર રાજુભાઈ ભટ.નીરુ દવે. અને સાથી કલાકારો.તા.3/4 સોમવારે સાંજે 4. કલાકે શ્રીવામન જન્મ. તેમજ સાંજે 5. કલાકે શ્રીરામ જન્મ તેમજ સાંજે 6.30 કલાકે નંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. તા 4/4 નાં રોજ સાંજે 6.30 કલાકે ગિરિરાજ ઉત્સવ. તેમજ રાત્રે 9.30 કલાકે રાસોત્સવ. તા.5.બુધવારે સાંજે 7. કલાકે શ્રીરૂક્ષ્મણી વિવાહ. તા.6/4 ગુરુવારે સવારે 11. કલાકે શ્રીસુદામા ચરિત્ર. તેમજ બપોરે 1/ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *