કોઇ વ્યક્તિને તકલિફ પડે અને વેદનાનો બીજી વ્યક્તિને અહેસાસ થાય એ સંવેદના. ગુજરાતના સુશાસનના પાયામાં પારદર્શિતા સાથે સંવેદનશીલતા રહેલી છે. દૂર છેવાડાના ગામડામાં રહેતો અદનો નાગરિક પોતાની સમસ્યા
કોને, ક્યાં કહે તો તેના પ્રશ્નનું નિરાકરણ આવશે એવી મુઝવણ હંમેશા અનુભવતો હોય છે. ન્યાય માટે ઝંખના કરતા નાગરિકના
પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગુજરાતના તત્કાલિન દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં નાગરિકોના પ્રશ્નોના
સીધા ઉકેલ માટે SWAGAT ( State Wide Attention on Grievances by Application of
Technology) કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્વાગત કાર્યક્રમ છેલ્લા બે દાયકાથી અવિરત નાગરિકોની સમસ્યાના ઉકેલનું
સરનામુ બન્યો છે.
સ્વાગત ઓનલાઇન મારફતે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી સુશાસનની પગદંડી ઉપર ગુજરાતની વિકાસ યાત્રાને મુખ્યમંત્રી
શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વધુ તેજ રફતારથી આગળ ધપાવી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં સ્વાગત ઓનલાઇન મારફતે અનેક
લોકોના પ્રશ્નોનું સંતોષજનક રીતે નિરાકરણ આવ્યું છે. રાજ્યના પ્રત્યેક નાગરિકોને પારદર્શિતા, સંવેદનશીલતા અને સુશાસનની
પ્રતીતિ થઈ રહી છે. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમની માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોએ પણ નોંધ લીધી છે. આ
ગુજરાતની સુશાસનની સફળતાનો જીવંત પુરાવો છે.
રાજ્યના દરેક નાગરિકને મહેસૂલી બબત એક યા બીજી રીતે સ્પર્શે છે. ઝૂંપડામાં રહેતો વ્યક્તિ હોય કે આલિશાન ફાર્મ હાઉસ કે
ખેતીલાયક જમીન ધરાવતો નાગરિક. આ તમામ લોકોને મહેસૂલ વિભાગની કોઈને કોઈ કચેરીની કામ માટે મુલાકાત લેવાની થતી
હોય છે. સ્વાગત ઓનલાઈનમાં સૌથી વધુ મહેસૂલી પ્રશ્નોની ફરિયાદો આવી છે અને એનું ઝડપી નિવારણ થતું હોવાની દરેકને
પ્રતીતી થઇ રહી છે.
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના પરબડી ગામના શ્રી વાલાભાઇ વાઘેલાને વર્ષ ૧૯૬૫માં સાંથણીમાં જમીન મળી હતી. આ
જમીન પર અન્ય વ્યકિતઓએ કબજો કરી લીધો હોવાની અરજી કરી હતી. આ બાબતે શ્રી વાલાભાઈએ કબજો સોંપવા માટે
રાજ્ય સ્વાગતમાં અરજી કરી હતી. શ્રી વાલાભાઈની અરજી સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ અરજદારને કુલ બે એકર ૧૬ ગુંઠા જમીન
વર્ષ ૧૯૬૫ સાંથણીમાં મળી છે તે અંગે જરૂરી માપણી સરકારી ખર્ચે કરાવી ૭ દિવસમાં અરજદારને કબજો મળે તે બાબતે
કલેક્ટરને સૂચના આપી પ્રશ્નનું નિરાકરણ લાવ્યું હતું. સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીએ તાત્કાલિક ધોરણે માપણી શીટ સરકારી ખર્ચે
કરવા હુકમ કરી અરજદારના પ્રશ્નનો હકારાત્મક ઉકેલ લાવ્યો હતો.
આ તો વાત થઇ ખેડૂતખાતેદારની પરંતુ સરકારી જગ્યામાં દબાણ અંગે પણ રાજ્યના જાગૃત નાગરિકો સ્વાગતના પ્લેટફોર્મ ઉપર
અરજી કરે છે. તેના સંતોષજનક નિકાલ અંગે પણ મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી સીધી જ સુચના આપી દેવામાં આવે છે અને
અરજદારને ન્યાય મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઉમારિયા ગામના પ્રભુદાસભાઈ
પટેલે રસ્તામાં થયેલા દબાણ અંગે સ્વાગતમાં અરજી કરી હતી. વાત જાણે એમ હતી કે, ઉમારીયા દૂધ ડેરીથી પ્રભુદાસ પટેલના
ઘર સુધી જવા માટેના રસ્તામાં ગેરકાયદેસર દબાણ થયેલું હતુ. શ્રી પ્રભુદાસભાઈ પટેલે તાલુકા અને જિલ્લા સ્વાગતમાં ફરિયાદ
કરી, તેમ છતા પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી ન હતી. આથી શ્રી પ્રભુદાસભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્ય
સ્વાગતમાં અરજી કરી ન્યાય માટે અપીલ કરી હતી.
અરજદાર શ્રી પ્રભુદાસભાઈ પટેલની રજૂઆત પરત્વે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેકટરને ડીઆઇએલઆરના પરામર્શમાં રહી
માપણી કરાવી ત્રણ અઠવાડીયામાં (ર૦ દિવસ)માં સમગ્ર કાર્યવાહી નિયમાનુસાર પૂર્ણ કરવા જણાવ્યું. મુખ્યમંત્રીશ્રીએ આપેલી
સુચનાને પરિણામે ત્વરિત કામગીરી થતા ગ્રામ પંચાયત મારફતે દબાણ નક્કી કરીને દબાણને દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં
આવી હતી.
જિલ્લા માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, જામનગર
Email- informationjam@gmail.comફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭
www.gujaratinformation.net
તા.૨૭-૦૪-૨૦૨૩ સમાચાર યાદી: ૩૫૬
ગામડાઓમાં રસ્તાની, શેઢાની તકરારો, ભાઈઓ વચ્ચેના ભાગની ફરિયાદો વગેરે જોવા મળતી હોય છે. કોઈ વ્યવસ્થિત વ્યક્તિ
તેમાં વચ્ચે રહીને યોગ્ય નિર્ણય કરે તો સમાધાન શક્ય બને છે. આવો જ એક પ્રશ્ન સુરતમાં રહેતા શ્રી ભનુભાઈ કોટડીયાના
કેસમાં સામે આવ્યો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નાગધ્રા ગામે ભનુભાઈની પોતાની સ્વતંત્ર માલિકીની ખેતીની જમીન
આવેલી છે. આ જમીનમાં જવાનો રસ્તો ખુલ્લો કરી આપવા તેમજ રહેઠાણ અને ખેતરમાં થયેલા દબાણ દૂર કરવાશ્રી ભનુભાઈ
કોટડીયાએ સ્વાગત ઓનલાઈનમાં અરજી કરી હતી.
અરજીની રજૂઆત અન્વયે મુખ્યમંત્રીશ્રીએ નિયમ અનુસાર જરૂરી ચકાસણી કરી અને જો તે જૂનો ગાડા માર્ગ હોય તો જાહેર
હિતમાં દબાણ દૂર કરી એક અઠવાડિયામાં પ્રશ્નનો નિરાકરણ લાવવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ આપેલી સૂચના અન્વયે
પક્ષકારો વચ્ચે સમજૂતી થતા આ પ્રશ્નનુ સુખદ સમાધાન થયું છે. આ સ્થળે તેમના સહહિસ્સેદારનું પણ નિવેદન લઈ, પંચકામ
કરી આ પ્રશ્નનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આવો જ એક પ્રશ્ન અરવલ્લી જિલ્લાના અરજદાર શ્રી મનહરભાઈ પટેલનો છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર
અને જૂનાવાડા ગામે સરકારી જમીન પરનું દબાણ હટાવવા બાબતે મનહરભાઈ પટેલે અરજી કરી હતી. શ્રી મનહરભાઈ પટેલની
અરજી અન્વયે કલેકટરશ્રીએ ખેતી વિષયક દબાણ બે-ત્રણ દિવસમાં દૂર કરવા બાહેંધરી આપી હતી. તેમજ અરજદારશ્રીની બે
મકાનના દબાણ અંગેની માંગણી બાબતે કલેકટર દ્વારા મકાન ખાલી કરાવી દબાણ દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.
મનહરભાઈ પટેલની અરજીની રજૂઆત અન્વયે સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવા બાયડ મામલતદાર દ્વારા કલમ ૬૧
હેઠળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ તો આપણે વાત કરી વાલાભાઈની, મનહરભાઈની, ભનુભાઈની અને પ્રભુદાસભાઈની પરંતુ રાજ્યના આવા તો અનેક
નાગરિકો છે જેમના પ્રશ્નનું સ્વાગત ઓનલાઇન મારફતે નિરાકરણ આવ્યુ છે. છેવાડાના માનવીને મહેસુલી પ્રશ્નનો નિવારણ
લાવવા માટેનું માધ્યમ સ્વાગત કાર્યક્રમ બન્યો છે. છેલ્લા બે દાયકામાં ૨,૭૭,૯૧૦ જેટલા મહેસૂલ વિભાગને લગતી અરજીઓ
મળી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સ્વાગત ઓનલાઈન અંતર્ગત આવેલી ૫,૬૬,૧૩૯ અરજીઓમાંથી ૯૯.૫૨ ટકા
અરજીઓનો સંતોષજનક રીતે નિકાલ થયો છે.
રાજ્યના નાગરિકોને ઝડપી ત્વરિત અને પારદર્શક સેવા પૂરી પાડવા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ એક દીવાદાંડી રૂપ બનીને
ઉભરી આવ્યો છે. છેલ્લા બે દાયકથી અવિરત ચાલતી જનવિશ્વાસની કડી સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ આગામી સમયમાં પણ
રાજ્યના નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટેનું સબળ માધ્યમ બની રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
