Gujarat

સાવરકુંડલામાં  હિન્દૂ યુવા સંગઠન દ્વારા કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં  વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૩ ૧૦૮  કાનુડા સાથે વિરાટ શોભાયાત્રા કાઢવામાં આવશે જે અંતર્ગત  તા.૨૦/૮/૨૦૨૩  રવિવારના રોજ ધોરણ ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે ૪ કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૮૦ સ્પર્ધકોએ કાન્હા પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ તમામ સ્પર્ધકો દ્વારા અલગ અલગ  ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રો બનાવવામાં આવ્યા હતા આ સ્પર્ધાના આયોજનમાં પૂ.ભક્તિરામબાપુએ ઉપસ્થિત રહીને તમામ સ્પર્ધકોને આશીર્વાદ પાઠવ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રવીણભાઈ સાવજ, રાજુભાઇ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા, મયુરભાઈ પારધી,મયૂરભાઈ રબારી,ગૌતમભાઈ સાવજ,સંજય સોમૈયા,સંદીપભાઈ ભટ્ટ,સહિત સ્પર્ધકોનો ઉત્સાહ વધારનાર તમામનું હિન્દૂ યુવા સંગઠનના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
 અને તમામ સ્પર્ધકોને જન્માષ્ટમીના દિવસે ઇનામ અને પ્રમાણ પત્ર હિન્દૂ યુવા સંગઠન દ્વારા આપવામાં આવશે અને ૧૫૦ અને ૨૦૦  કિલોમીટર દૂરથી બહારગામના વિદ્યાર્થીઓએ પણ પણ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈને પોતાની કલા લોકો સમક્ષ રજુ કરી હતી અને તમામ કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ચૌહાણ અને જતીનભાઈ બંજારા દ્વારા કરવામાં આવ્યું હતું
આ ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભાવેશભાઈ બોરીસાગરે સેવા આપી હતી એમ યોગેશ ઉનડકટની યાદીમાં જણાવાયું હતું.

IMG-20230822-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *