Gujarat

બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જસુભાઈ પટેલના આક્ષેપ બાદ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું

રઘુ શર્મા સાથે મળીને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પર રાજ્યમાં કોંગ્રેસનો સોદો કરવાનો મોટો આરોપ લગાવ્યો

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો ગરમાવો જાેવા મળી રહ્યો છે. બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રભારી ડો.રઘુ શર્મા પર મોટો આરોપ લગાવ્યો છે. જસુભાઈ પટેલે કહ્યું છે કે રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી રઘુ શર્માએ તત્કાલિન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે મળીને ગુજરાતમાં કોંગ્રેસનો સોદો કર્યો હતો. હવે તેઓ ચૂંટણી મેદાનમાં છે ત્યારે ગુજરાતમાંથી કાર્યકરો અને નેતાઓ તેમની સામે પ્રચાર કરવા જશે. જસુભાઈ પટેલે આ મોટો ર્નિણય એવા સમયે લીધો છે જ્યારે અશોક ગેહલોતના નજીકના ગણાતા ડૉ.રઘુ શર્મા ૧૦ નવેમ્બરે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. જસુભાઈ પટેલ બાયડમાંથી પેટા ચૂંટણી જીત્યા હતા.

તેમણે કહ્યું કે મારી જગ્યાએ એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી હતી જે ત્રીજા સ્થાને રહી હતી. અરવલ્લી જિલ્લામાં ભાજપ પાસે એક પણ બેઠક નથી. ત્યાંની તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસનો સોદા કરનારાઓ સામે કોંગ્રેસના વફાદાર કાર્યકરોમાં રોષ છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાન જશે. ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડો.રઘુ શર્માને કમાન સોંપી હતી. તેમને પ્રભારી બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના નેતૃત્વમાં પાર્ટી માત્ર ૧૭ બેઠકો પર જ રહી ગઈ હતી.

રાજ્યમાં પ્રથમ વખત કોંગ્રેસની આ હાલત હતી. કોંગ્રેસને ચૂંટણી બાદ વિપક્ષના નેતાનું પદ પણ મળ્યું નથી. રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્મા અજમેર લોકસભાની કેકડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રઘુ શર્મા ૨૦૦૮માં અહીંથી જીત્યા હતા, પરંતુ ૨૦૧૩માં તેઓ પોતાની સીટ બચાવી શક્યા ન હતા અને શત્રુઘ્ન ગૌતમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. રઘુ શર્માએ ૨૦૧૮ની ચૂંટણીમાં પુનરાગમન કર્યું અને ફરીથી કેકરી પર કબજાે કર્યો. હવે તેઓ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે. રાજસ્થાનમાં ૨૩ નવેમ્બરે મતદાન થશે. બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જસુભાઈ પટેલના આક્ષેપ બાદ ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. પટેલે રઘુ શર્મા સાથે મળીને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પર રાજ્યમાં કોંગ્રેસનો સોદો કરવાનો મોટો આરોપ લગાવ્યો છે.

ઠાકોરને પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા બાદ તેમને ઝ્રઉઝ્રમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જસુભાઈ પટેલની બેઠક પરથી અપક્ષ ધવલસિંહ ઝાલા જીત્યા હતા. જેમણે બાદમાં ભાજપને સમર્થન આપ્યું હતું. પાર્ટીએ ૨૦૨૨ની પેટાચૂંટણીમાં જીતુ જસુભાઈ પટેલના સ્થાને પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *