દિલ્હી
કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ રોજગાર મુદ્દે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે પીએસયુ સેક્ટરમાં રોજગારીની તકોના અભાવ અંગે ટિ્વટ કર્યું છે. જેમાં તેમણે સરકાર પર દેશમાં રોજગાર ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “ઁજીેં એ ભારતની શાન હતું અને રોજગાર માટે દરેક યુવાનોનું સપનું હતું. પરંતુ આજે તે સરકારની પ્રાથમિકતા નથી. દેશના ઁજીેંજમાં રોજગાર ૨૦૧૪માં ૧૬.૯ લાખથી ઘટીને ૨૦૨૨માં માત્ર ૧૪.૬ લાખ થઈ. શું પ્રગતિશીલ દેશમાં નોકરીઓ ઘટે છે?” તેમણે આગળ લખ્યું, “મ્જીદ્ગન્માં ૧,૮૧,૧૨૭ નોકરીઓ ગુમાવી, જીછૈંન્માં ૬૧,૯૨૮, સ્દ્ગન્માં ૩૪,૯૯૭, જીઈઝ્રન્માં ૨૯,૧૪૦, ??હ્લઝ્રૈંમાં ૨૮,૦૬૩, ર્ંદ્ગય્ઝ્રમાં ૨૧,૧૨૦ નોકરીઓ. દર વર્ષે ૨ કરોડ નોકરીના ખોટા વચનો આપનારે નોકરીઓ વધારવાને બદલે ૨ લાખથી વધુ નોકરીઓ ખતમ કરી દીધી.


