Gujarat

જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રના એકમોને  માર્ચ-૨૦૨૩ અંતિત ઈ.આર.-૧  પત્રકની   માહિતી મોકલવા બાબત           

જૂનાગઢ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ (ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ) ૧૯૫૯ હેઠળની જાહેરક્ષેત્રની સરકારી/અર્ધસરકારી કચેરીઓ તથા માન્ય નિગમ – બોર્ડ અને બેંક તેમજ ખાનગી ક્ષેત્રની કંપની/ફેક્ટરી/શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીને તાકીદ કરવામાં આવે છે કે જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને માર્ચ-૨૦૨૩ અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-૧ પત્રક તારીખ ૩૦ એપ્રિલ – ૨૦૨૩ સુધીમાં વેબ સાઈટ www.employment.gujarat.gov.in પર ઓનલાઈન અથવા રૂબરૂ-ટપાલ મારફત મોકલી આપવાના રહેશે.

 અન્યથા કાયદાનો ભંગ થયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની સંબંધકર્તા તમામને નોંધ લેવા તેમજ વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના હેલ્પ લાઇન નંબર- ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર ટેલીફોનિક અથવા રૂબરૂ સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી(સા.) ની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *