Gujarat

હરિ ૐ વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી જોશી બાપાનો ૬૭ મો જન્મદિવસ

હરિ ૐ વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી જોશી બાપાનો ૬૭ મો જન્મદિવસ

માનવ સેવા એજ પ્રભુ સેવા જેમનો જીવન મંત્ર છે તેવા સેવાના ભેખધારી જેતપુર અને અલીયાબાડા સ્થિત વૃદ્ધાશ્રમના સંચાલક અને સંસ્થાપક એવા શ્રી જોશીબાપાનો આજે ૬૭ મો જન્મ દિવસ છે. સમાજથી તરછોડાયેલા નિરાધાર અને દુખી એવા ૨૦૦ વૃદ્ધ વડીલો હરિ ૐ વૃદ્ધાશ્રમમાં નિવાસ કરી રહ્યા છે. જેમની પાસેથી કોઈ ફી કે ચાર્જ લેવામાં આવતો નથી, તેવા વૃદ્ધ વડીલોને પોતાના માવતર સમજી જોશીબાપા અવિરત સેવા કરી રહ્યા છે.
ત્યારે જોશીબાપાના ૬૭ માં જન્મ દિવસ નિમિતે વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધોને સાંજે ૫ કલાકે કાગવડ ખોડલધામમાં ખોડિયાર માતાજીના દર્શને લઈ જવામાં આવશે.જ્યાં માતાજીની આરતી કરી, ભોજન પ્રસાદ કરાવવામાં આવશે. અને જોશીબાપા જરૂરિયાત મંદ લોકોની અવિરત સેવા કરતાં રહે તે માટે માં ખોડિયાર તેમને ખૂબ લાંબુ અને સ્વસ્થ દીર્ઘાયુ આપે અને સેવા કર્યો કરવાની વધુ ને વધુ શક્તિ આપે એવી ખોડિયાર માતાજીને પ્રાર્થના કરશે. તેમ વૃદ્ધાશ્રમ સંસ્થાના જવાબદાર પ્રતિનિધિ નિલેશભાઈ જોશીની અખબાર યાદી જણાવે છે.

રિપોર્ટ સી.વી.જોશી વિસાવદર

IMG-20240610-WA0018.jpg