ખંભાળિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ તાજેતરમાં ઓવરફ્લો થઈ જતા ગઈકાલે ખંભાળિયા નગરપાલિકાના હોદ્દેદારોએ જળપૂજન કરી, નવા નીરને વધાવ્યા હતા.

ખંભાળિયાના પાદરમાં આવેલો 20 ફૂટનો ઘી ડેમ તાજેતરના ભારે વરસાદના કારણે થોડા દિવસો પૂર્વે છલકાઇ જતા ઓવરફ્લો થઈ ગયો છે. ત્યારે તાજેતરના મેઘ વિરામ વચ્ચે ગઈકાલે નગરપાલિકાના હોદ્દેદારો, સદસ્યો તથા ભાજપના કાર્યકરોએ ઘી ડેમની ખાસ મુલાકાત લીધી હતી.

અહીં તેઓએ સંપૂર્ણપણે ભરાઈ ગયેલા ઘી ડેમમાં પુષ્પ, મીઠાઈ વડે પૂજન કર્યું હતું અને ઉપસ્થિત સૌના મોં મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, પી.એમ. ગઢવી, રેખાબેન ખેતિયા, રવિરાજસિંહ જાડેજા, જગુભાઈ રાયચુરા, મયુરભાઈ ધોરીયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, હસમુખભાઈ ધોળકિયા, અજુભાઈ ગાગીયા, કિશોરભાઈ નકુમ, સહિતના કોર્પોરેટરો, કાર્યકરો સાથે જોડાયા હતા.