Gujarat

ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે છાસ કેન્દ્રનો પ્રારંભ. આજુ-બાજુના વિસ્તારના જરૂરિયાતમંદ કુટુંબો લાભ લઇ રહ્યા છે. 

સતત ૩ મહિના સંસ્થા દ્વારા આ સેવાકાર્ય વિના મુલ્યે નિઃસ્વાર્થ ભાવે ચાલશે. સંસ્થાના વડા પૂ. રતિદાદાની પ્રેરણાથી ભારત ભૂષણ શ્રી મહેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્યનો પ્રારંભ.
સેવાકાર્યનું વટવૃક્ષ અને જીવંતતા દર્શાવતાં ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ખાતે કે જ્યાં સેવા, સંસ્કાર, આરોગ્ય, પશુસેવા, સમૂહ લગ્ન જેવી પ્રવૃતિઓ અખંડ ચાલી રહી છે. જેના ભાગ રૂપે ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે. તો અમૃતના ઓડકારસમી છાશનું વિતરણ શરુ કરેલ છે. આ છાશ કેન્દ્રમાં આસપાસના વિસ્તારમાં ૫૦ જેટલા જરૂરિયાતમંદ કુટુંબોના ૨૫૦ જેટલા લોકો આ છાશ કેન્દ્રનો લાભ લઇ રહ્યા છે. અને અંતરના આશીર્વાદ આપી રહ્યા છે. પૂ. રતિદાદાએ જણાવ્યું હતું કે આ છાશકેન્દ્ર એપ્રિલ, મેં, જુન એમ ત્રણ મહિના ચાલશે અને અનેક લોકો આ સેવાકાર્યનો લાભ લેશે.આ છાશ કેન્દ્રમાં એપ્રિલ માસનો આર્થિક સહયોગ સ્વ. લાભુબેન મોનજીભાઈ તન્ના (યુ.કે.) હ. ઉર્મિલાબેન તરફથી મળેલ છે.