Gujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ હનુમાન જયંતિ નિમિત્તે સાળંગપુર ધામ હનુમાનજી મંદિર ખાતે દર્શન કર્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ધામ ખાતે આયોજિત હનુમાન જયંતિ ઉત્સવમાં ભક્તિભાવ સાથે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન હનુમાનજી મહારાજને ચઢાવવામાં આવેલ મહા અન્નકૂટની આરતીમાં ભાગ લીધો હતો અને સૌના સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

હનુમાન જયંતિના પાવન અવસરે સલંગપુર ધામમાં દર વર્ષે યોજાતી વિવિધ ધામિર્ક કાર્યક્રમોની પરંપરા મુજબ આ વર્ષે પણ સમૂહ મારુતિ યજ્ઞની સાથે હનુમાનજી મહારાજને અર્પણ કરેલ મહા અન્નકૂટ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

હનુમાન જયંતિ નિમિત્તે તેમણે હનુમાનજી મહારાજની ભક્તિભાવપૂર્વક આરતી કરી હતી અને તમામ લોકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી.
હનુમાન જયંતિની આ ભવ્ય ઉજવણીમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો, આગેવાનો અને ભક્તોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો હતો.