Gujarat

સાવરકુંડલા શહેરમાં આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે વિનામૂલ્યે નેત્રનિદાન અને નેત્ર આરોપણ કેમ્પ યોજાયો

તારીખ ૨૫-૪-૨૪ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ સાવરકુંડલા  અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલિત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પમાં આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ.પી.ડી.માં ૭૨ દર્દીઓએ લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન માટે ૨૫  દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું દિપ પ્રાગટય કબિર ટેકરી નાં મહંત શ્રી નારાયણ સાહેબ, લાયન્સ કલબ ઓફ અમરેલી સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલભાઇ વ્યાસ,  જગદીશભાઈ જેઠવા જિતેનભાઇ હેલૈયા, મેહુલભાઈ ત્રિવેદી તથા  પટેલ બેટરીવાળા વિઠ્ઠલભાઈ સુદર્શન નેત્રાલયના કર્મચારી નિલેષભાઈ ભીલ, તથા કબીર ટેકરી ના સ્વયંમ સેવકો વગેરેએ સેવા આપી હતી. આ કેમ્પ દર મહિનાના ત્રીજા ગુરુવારે છેલ્લા ૧૨ વર્ષથી યોજાય છે