એક કરોડ લોકોને મફત વીજળી આપવાની જાહેરાત કોઈ નાનો ર્નિણય નથી. આ યોજના ૧ કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવીને શરૂ થશે. તે પછી, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ ૩૦૦ યુનિટ મફત આપવામાં આવશે. આ સ્કીમ દરેક યુઝરને ૧૮૦૦૦ રૂપિયા સુધીની બચત કરવામાં મદદ કરશે. નિષ્ણાતોનું માનીએ તો છત પર સૌર ઉર્જા દ્વારા મફત વીજળી આપવાના સરકારના ર્નિણયને સરકારની બેવડી જીત ગણવામાં આવી રહી છે. સૌપ્રથમ, સરકાર આ યોજના દ્વારા પર્યાવરણ પર નકારાત્મક અસર ઘટાડશે. બીજાે ફાયદો એ થશે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ખિસ્સામાં રાહત થશે. ચાલો તમને એ પણ જણાવીએ કે આ સ્કીમ તમારા ૧૮,૦૦૦ રૂપિયા કેવી રીતે બચાવી શકે છે. આ પહેલા સૂર્યોદય યોજનાને સમજવી ખૂબ જ જરૂરી છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો ઉદ્દેશ્ય સૌર છત લગાવી ઘરોમાં વીજળી પહોંચાડવાનો છે. ઉપરાંત વધારાના વીજ ઉત્પાદન માટે વધારાનું ભંડોળ પણ આપવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ આ જાહેરાત કરી હતી. વડાપ્રધાને એવી પણ વિનંતી કરી હતી કે મોટી સંખ્યામાં રહેણાંક વપરાશકર્તાઓને રૂફટોપ સોલાર એનર્જી સિસ્ટમ્સ ઈન્સ્ટોલ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક મોટું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવામાં આવે. સરકાર તરફથી મળતી માહિતી અનુસાર, વડાપ્રધાને સૂર્યવંશી ભગવાન શ્રી રામના અભિષેકના શુભ અવસર પર તેમની અયોધ્યા મુલાકાત બાદ તરત જ એક બેઠક યોજી હતી. આ બેઠક ૧ કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવા અંગે યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન વડાપ્રધાને કહ્યું કે છતવાળા ઘરો સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને તેમના વીજળીના બિલને ઘટાડી શકે છે અને તેઓ તેમની વીજળીની જરૂરિયાતો માટે આર્ત્મનિભર બની શકે છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના દ્વારા ૧ કરોડ પરિવારોને છત પર સૌર ઉર્જા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તેમના વીજ બિલ ઘટાડવામાં મદદ કરવા માટે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ૩૦૦ યુનિટ મફત વીજળીને કારણે સામાન્ય લોકોને કેવી રીતે ફાયદો થશે. તો સમજાે કે, વીજળીની સરેરાશ કિંમત પ્રતિ યુનિટ રૂ. ૫ આસપાસ છે. જાે એક મહિનામાં ૩૦૦ યુનિટ વીજળી મફતમાં મળે તો તેની કિંમત લગભગ ૧૫૦૦ રૂપિયા છે. જાે તેને ૧૨ મહિના સાથે ગણવામાં આવે તો આખા વર્ષ માટે ૩૬૦૦ યુનિટની કિંમત ૧૮,૦૦૦ રૂપિયા થશે. મતલબ કે એક મહિનામાં ૩૦૦ યુનિટ અને વર્ષમાં ૩૬૦૦ યુનિટ મફત વીજળી મળવાથી લોકોના ૧૮૦૦૦ રૂપિયાની બચત થશે. મતલબ કે એક કરોડ પરિવારો એક વર્ષમાં ૧૮ હજાર કરોડ રૂપિયા બચાવશે.
ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલર સિસ્ટમના ફાયદા શું છે?
વીજળી બિલમાં ગ્રાહકને બચત.
ખાલી છતની જગ્યાનો ઉપયોગ, વધારાની જમીનની જરૂર નથી.
વધારાના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઇનની જરૂર નથી.
વીજ વપરાશ અને ઉત્પાદન વચ્ચેના સંતુલનને કારણે,T&D નુકશાન ઘટે છે.
ટેલ-એન્ડ ગ્રીડ વોલ્ટેજમાં સુધારો અને સિસ્ટમની ભીડમાં ઘટાડો.
પ્રદૂષણ ઘટાડીને લાંબા ગાળાની ઊર્જા અને પર્યાવરણીય સુરક્ષા.
ડિસ્કોમ્સ/યુટિલિટી દ્વારા દિવસના પીક લોડનું બહેતર સંચાલન.

