જેસીઆઇ જુનાગઢ તથા જેસીઆઈ જુનાગઢ મહિલા સીટી દ્વારા દર
વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 14/1/2024 મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી.
મકરસંક્રાંતિની ઉજવણીના ભાગ સ્વરૂપે અલગ અલગ સંસ્થા જેવી કે શિશુમંગલ અનાથ આશ્રમ, અંધ કન્યા છાત્રાલય,વૃદ્ધાશ્રમ, રાષ્ટ્રીય અંધજન મંડળ, મંગલમૂર્તિ વિકલાંગ સંસ્થા,
બહેરા મૂંગા બાળકોની શાળા, ઝૂંપડપટ્ટી વિસ્તાર જેવી સંસ્થામાં પતંગ, દોરા ,માંડવીની ચીકી ,તલની ચીકી ,મમરાના લાડુ, તલના લાડુ, બિસ્કીટ, ચોકલેટ, મસાલા ભુંગળા, વેફર્સના પેકેટ, ગાંઠીયા, આલુ સેવ, નાનખટાઈ, ટોસપટ્ટી વગેરે જેવી વસ્તુઓની કીટ આપી ઉજવણી કરવામાં આવી.
આ આયોજનમાં જેસીઆઈ જુનાગઢ ના પ્રમુખ જેસી ચિરાગ કડેચા,મંત્રી અભિષેક શિશાંગીયા, ઝોન – ૭ માંથી ઝેડવીપી જેસી પાર્થ પરમાર, ઝોન ડાયરેક્ટર જેસી વિરલ કડેચા, ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા,જેસી ચેતન સાવલિયા, જેસી વિજય ચાવડા,જેસી મનીષ લોઢીયા, જેસી ગોપાલ હિંડોચા તથા જેસીઆઈ જુનાગઢ મહિલા સીટી ના પ્રમુખ જેસી ભાવિશા દેકીવાડીયા, જેસી સંગીતા સાવલિયા,જેસી જાગૃતિ પરમાર, જેસી કાજલ ચાવડા, જેસી શિલ્પા મકવાણા તથા જેસીઆઇ જુનાગઢ ના જે જે વીંગ ના ચેરમેન જે જે દીપેશ સોની તથા જૂનાગઢ એસઓજી ઓફિસના પીઆઇ ગોહિલ સાહેબ તથા જૂનાગઢના પ્રખ્યાત સ્કીન એન્ડ હેરના સ્પેશિયાલિસ્ટ જેસી ડોક્ટર પિયુષ બોરખતરીયા સાહેબ તથા જેસીઆઈ જુનાગઢ અને જેસીઆઈ જુનાગઢ મહિલા સીટી ની પૂરી ટીમ હાજર રહી સફળ બનાવ્યો હતો.

