Gujarat

હવે જમ્મુ-કાશ્મીરનીઅનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પર મતદાન૭મી મેના બદલે ૨૫મી મેના રોજ યોજાશેઃ ચૂંટણી પંચ

ચૂંટણી પંચે ખરાબ હવામાન અને રસ્તાઓની સ્થિતિને લઈનેજમ્મુ-કાશ્મીરનીઅનંતનાગ-રાજૌરી લોકસભા સીટ પર મતદાનને લઈ મોટો ફેરફાર કર્યો છે, ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી બેઠક માટે ચૂંટણીને સ્થગિત કરી દીધી છે. ભારતના ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી લોકસભા મતવિસ્તાર (ત્નશ્દ્ભ)માં મતદાનની તારીખમાં સુધારો કર્યો છે.

મતદાન હવે ૭મી મેના બદલે ૨૫મી મેના રોજ યોજાશે. ચૂંટણી પંચે ખરાબ હવામાન અને રસ્તાઓની સ્થિતિને લઈને આ ર્નિણય જાહેર કર્યો છે. અગાઉ ચૂંટણી પંચે આ બેઠક પર ત્રીજા તબક્કામાં એટલે કે ૭મી મેના રોજ ચૂંટણી કરાવવાનો ર્નિણય લીધો હતો.

આ પછી, ખરાબ હવામાન અને ખરાબ રસ્તાઓને કારણે અનંતનાગરાજૌરી સીટ પર ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી હતી. આ પછી ચૂંટણી પંચે આ ર્નિણય લીધો છે.