મેંદરડા: કશ્મીર આંતકી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ અને પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા અલગ અલગ રાજ્યના પ્રવાસી ઓને પોતાનો ધર્મ પુછીને ગોળી ઓ ધરબી હત્યા કરવામાં આવેલ
ત્યારે સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો અને રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે મેંદરડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, શહેરના વિવિધ સંગઠનો, સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
આંતકી હુમલામાં મૃત્યુ પામનાર લોકોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી બાદ પુતળા દહન કરવામાં આવેલ હતું અને પાકિસ્તાન વિરુદ્ધ નારાઓ લગાવવામાં આવેલ હતા
રીપોર્ટ: કમલેશ મહેતા મેંદરડા