Gujarat

મેંદરડા: જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

મેંદરડા: જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકારો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

પત્રકાર એક્તા પરિષદ જિલ્લા અને તાલુકાના તમામ હોદ્દેદારો ની આક્રોશ સાથે રજુઆત

પત્રકાર એકતા પરિષદ દ્વારા જુનાગઢ કલેકટર શ્રી ને આવેદન (આક્રોશ) પત્ર પાઠવવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પ્રવચન માં પત્રકારો વિશે સાર્વજનિક અપશબ્દો અને પત્રકારો વિશે અયોગ્ય ટિપ્પણી તથા અયોગ્ય શબ્દો વાપર્યા હોય ત્યારે સમગ્ર પત્રકાર જગત માં રોષ અને દુઃખનો માહોલ સર્જાયો હોય

ત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે જૂનાગઢ પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો,જૂનાગઢ જિલ્લા ના તાલુકાના તમામ પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખો,ઉપ પ્રમુખો અન્ય હોદેદારો દ્વારા આજે કલેકટર કચેરી ખાતે એકત્રિત થઈ આજે સવાર ના 11:45 કલાકે જૂનાગઢ કલેકટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી રજુઆત પહોચતી કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

અને વિશેષ માં પત્રકારો દ્વારા જણાવેલ હતું કે કોઈ પણ મંત્રીઓ કે કોઈ પદાધિકારીઓ કોઈ પણ સંગઠન કે જ્ઞાતિ માટે અપમાન જનક શબ્દોનો ઉપયોગ ન કરે તેવી સૂચના આપવા માટે મુખ્મંત્રીશ્રીને વિનંતી કરી લેખીત રજુઆત કરવામાં આવી હતી.

રિપોર્ટ :-કમલેશ મહેતા મેંદરડા

IMG-20250403-WA0031-1.jpg IMG-20250403-WA0030-0.jpg