અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 7 ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે.
આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ છે.
આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને નીચે લઈને આવવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.