Gujarat

કોડીનારના છાછર ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત કરાયું

કોડીનાર તાલુકાના ઘાંટવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાબાના છાછર ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત છાછર ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી હરીભાઇ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રેનું કેન્દ્ર જર્જરીત થઈ ગયું હોય સરકાર શ્રી દ્વારા લોકોની સુખાકારી જળવાઈ રહેઅને આરોગ્યની સારી સુવિધાઓ ઘર આંગણે મળી રહે તેવા શુભ ઉદેશ સાથે ત્રીસ લાખના ખર્ચે સુવિધાસભર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

આજના પ્રસંગે છાછર ગામના નાગરિકો ગોવિંદભાઈ મકવાણા મનસુખભાઈ કાકરેચા તથા કોડીનાર તાલુકા ટીબી સુપરવાઇઝર અજીતભાઈ ચાવડા, આરોગ્ય કર્મચારી હસુભાઈ પોપટાણી, એ હાજરી આપી હતી. આ કેન્દ્ર થી છાછર ઊપરાંત કરેડા રાજપરા ગોવિંદપુર ભંડારીયા સુગાળા ગામના લોકોને પણ આ સુવિધા ઉપયોગી થશે