થોલ થિરુમાવલવનના વિદુથલાઈ ચિરુથૈગલ કાચી દ્વારા તમિલનાડુના આગામી મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે, જેનાથી તમિલનાડુ વિધાનસભામાં સરકાર બનાવવાના મુદ્દે ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો છે.
ટીવીકે પાસે વિજયની બે બેઠકો સહિત ૧૦૮ બેઠકો છે, પરંતુ ૨૩૪ સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં તે ૧૧૮ ના બહુમતી આંકડોથી ઓછી છે. પરંતુ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી), ફઝ્રદ્ભ અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ ના સમર્થનથી, પાર્ટી તમિલનાડુમાં આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે ડાબેરી પક્ષો, ફઝ્રદ્ભ અને ૈંેંસ્ન્ પાસે બે-બે ધારાસભ્યો છે.
દરમિયાન, દ્રવિડ મુનેત્ર કઝગમ ના પ્રમુખ એમકે સ્ટાલિને તમિલનાડુ વિધાનસભામાં બહુમતી મેળવ્યા બાદ ટીવીકેને અભિનંદન પાઠવ્યા છે. માઇક્રો-બ્લોગિંગ સાઇટ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં, સ્ટાલિને પુનરોચ્ચાર કર્યો કે તેમનો પક્ષ નવી સરકારની રચનામાં અવરોધ નહીં લાવે અને ડ્ઢસ્દ્ભ એક રચનાત્મક વિપક્ષી પક્ષ તરીકે કાર્ય કરશે.
“એવી પરિસ્થિતિમાં જ્યાં કોઈને સરકાર બનાવવા માટે બહુમતી મળી ન હતી, ઘણા લોકોએ વૈકલ્પિક વિચારો રજૂ કર્યા. જ્યાં સુધી મને લાગે છે, અમારા સાથી પક્ષો જે પણ ર્નિણય લે છે, હું માનતો હતો કે આપણે તેમના ર્નિણયનો આદર કરવો જાેઈએ, સંકલનમાં કાર્ય કરવું જાેઈએ, સ્થિર સરકાર રચાય તેની ખાતરી કરવી જાેઈએ અને બીજી ચૂંટણી માટે માર્ગ મોકળો ન કરવો જાેઈએ,” તેમણે કહ્યું.
ચેન્નાઈમાં એક પત્રકાર પરિષદમાં બોલતા, ફઝ્રદ્ભ ના વડા થોલ થિરુમાવલવનએ કહ્યું કે તેમની પાર્ટીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અટકાવવા માટે વિજયના ટીવીકેને સમર્થન આપવાનો ર્નિણય લીધો છે. તેમણે કહ્યું કે તમિલનાડુમાં રાજકીય કટોકટી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું કારણ ન બનવી જાેઈએ.

