National

કેરળમાં બર્ડ ફ્લૂ!.કોટ્ટયમમાં ફેલાયો બર્ડ ફ્લૂ, ૬૦૦૦ પક્ષીઓ માર્યા ગયા

કોટ્ટયમ
દેશમાં કોરોનાને લઈને ચાલી રહેલી આશંકાઓ વચ્ચે કેરળમાંથી બર્ડ ફ્લૂ ફાટી નીકળ્યાના સમાચાર આવ્યા છે. રાજ્યના કોટ્ટયમ જિલ્લાની ત્રણ અલગ-અલગ પંચાયતોમાં બર્ડ ફ્લૂના પ્રકોપની પુષ્ટિ થઈ છે. આ પછી ૬,૦૦૦ થી વધુ પક્ષીઓ માર્યા ગયા. તેમાંના મોટા ભાગના બતક છે. કોટ્ટયમ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જિલ્લાના વેચુર, નિનાદુર અને અરપુકારા ગામો અને પંચાયતોમાં શનિવારે કુલ ૬,૦૧૭ પક્ષીઓ, જેમાં મોટાભાગે બતક હતા, માર્યા ગયા હતા. કોટ્ટયમ જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, વેચુરમાં લગભગ ૧૩૩ બતક અને ૧૫૬ મરઘીઓ, નિનાદુરમાં ૨,૭૫૩ બતક અને અરપુકારામાં ૨,૯૭૫ બતક માર્યા ગયા હતા. બર્ડ ફ્લૂ, અથવા એવિયન ઈન્ફલ્યુએન્ઝા, એક અત્યંત ચેપી ઝૂનોટિક રોગ છે. બીજી તરફ લક્ષદ્વીપમાં બર્ડ ફ્લૂના પ્રકોપને જાેતા પ્રશાસને ત્યાંથી ફ્રોઝન ચિકનના પરિવહન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *