કલેકટરશ્રી રચિત રાજે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ સંદર્ભેની બેઠક પહેલાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી માટે અને જરૂરી વ્યવસ્થાઓ માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રજાસત્તાક દિન ૨૬ જાન્યુઆરીની જિલ્લાકક્ષાની ઉજવણી વંથલી ખાતે થનાર છે, ત્યારે કલેકટરશ્રીએ ધ્વજવંદન, પરેડ, બેઠક વ્યવસ્થા, દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો, સફાઈ પાણી, સહિતની વ્યવસ્થાઓ માટે જરૂરી સૂચનાઓની સાથે માર્ગદર્શન આપ્યું હતું.
