સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
મહાશિવરાત્રીના પાવન પર્વે લીલીયા તાલુકાના અંટાળીયા ગામમાં બિરાજમાન અંટાળેશ્વર મહાદેવ તથા શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રિદિવસીય શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞના આયોજન કરવામાં આવેલ. આ શિવમહાપુરાણ જ્ઞાન યજ્ઞનાં શુભ અવસરે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાજી, માનનીય સાંસદશ્રી નારણભાઈ કાછડિયા નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળા, જનકભાઈ તળાવિયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઇ કાબારિયા, જીતુભાઈ ડેર, વિપુલભાઈ દૂધાત પણ ઉપસ્થિત રહ્યા હતા.


