India

ખાનગી કંપનીના એચઆર મેનેજરે રાજીનામું આપ્યાના ૩ દિવસ બાદ આપઘાત

ઈન્દોર
મૃતક યુવતીની ઓળખ શાલુ નિગમ તરીકે થઈ છે. શાલુ નામની યુવતી લાસુડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના નરીમાન પોઈન્ટમાં રહેતી હતી. તેણીએ ઘરમાં આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. તે ઇન્દોરની જાણીતી કંપની દેવ એગ્રો કેમિકલ્સમાં એચઆર મેનેજર તરીકે કામ કરતી હતી. તેણે માત્ર ત્રણ દિવસ પહેલા જ કંપનીમાંથી રાજીમાનું આપ્યું હતું. શાલુ તેની નાની બહેન સાથે રહેતી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી તે જ કંપનીમાં કામ કરતી હતી. જાે કે, ઘટના સમયે તે ઘરમાં એકલી હતી. સાંજે નાની બહેન ઘરે આવી ત્યારે તેણે શાલુનો મૃતદેહ જાેઈને બૂમાબૂમ કરી હતી. નાની બહેને પોલીસને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે એમવાય હોસ્પિટલમાં મોકલીને આપઘાતની દિશામાં તપાસ હાથ ધરી હતી. યુવતીના પરિવારના સભ્યોએ નોકરીમાં ટેન્શનના કારણે તેના મોતની આશંકા વ્યક્ત કરી છે. તેણે કંપનીના કર્મચારીઓ પર આરોપ લગાવ્યો છે. છોકરીના મામાએ કહ્યું કે તે ઓફિસમાં કંઇક બાબતે ચિંતિત હતી. જાે કે, કંપનીના ડિરેક્ટરે જણાવ્યું કે, યુવતીએ ત્રણ-ચાર દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું, પરંતુ આ માટે તેણીએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક ખાનગી કંપનીમાં એચઆર મેનેજર તરીકે કામ કરતી યુવતીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સતનામાં રહેતી યુવતી ઈન્દોરની એક જાણીતી કંપનીમાં કામ કરતી હતી અને ત્રણ દિવસ પહેલા તેણીએ નોકરીથી રાજીનામું આપ્યું હતું. સમગ્ર ઘટના અંગે મૃતક યુવતીના પરિવારના સભ્યોનું કહેવું છે કે તે પોતાની નોકરીને લઈને તણાવમાં હતી. પોલીસ હાલ આત્મહત્યાના કેસ તરીકે તેની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *