ગાંધીનગર
ગાંધીનગરના સેક્ટર- ૨૪ના વૃદ્ધને ૨૦ હજાર હાથ ઉછીના આપીને પેથાપુરનાં વ્યાજખોરે ૨૦ ટકા વ્યાજ વસૂલી અત્યારસુધીમાં રૂ. ૨.૨૭ લાખ પડાવી લીધા હતા. તેમ છતાં રૂ. ૨.૮૦ લાખની બાકી ઉઘરાણી કાઢીને લુખ્ખા તત્વોને હવાલો આપીને વૃદ્ધને અસહ્ય ત્રાસ આપી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી હતી. જેથી આખરે સેક્ટર – ૨૧ પોલીસ મથકના ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


