Gujarat

જોડિયા મુકામે આજ રોજ તા.08.04.2023 થી 15.04.2023.સુધી શ્રી મદ ભાગવત કથા નું જોડિયા રામ વાડી ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહ ના યજમાન જ્યોતિસ્વરૂપ બાબા હનુમાનજી.

જોડિયા રામ વાડી ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહ શ્રી ભોલેબાબા ની ધાર્મિક જગ્યાએ આજ રોજ  કથા નો પ્રારંભ ચેત્ર વદ.2 ને તા.08.04.2023 ના શનિવાર પોથી યાત્રા મેઈન બઝાર અને શેરી ગલીઓ માંથી પસાર શરૂઆત વાજતેગાજતે અને રામ વાડી એ કથા ના સ્થળ સુધી પહોંચી ને શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ  સમસ્ત જોડિયા અને આસપાસના સર્વે ગામના હિન્દુ સમાજના પિતૃ મોક્ષ અર્થે  શ્રી મદ ભાગવત કથા ના પ્રથમ દિવસે  શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી 1008 અવધેસદાસજી  બાપુ (શાસ્ત્રીજી બાપુ) કુનડ ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ને કથા નો શુભારંભ કરવામાં આવેલ છે.કથા સ્થળ ઉદાસીન સતકુટિર..જોડિયા વ્યાસ પીઠ ઉપર બિરાજમાન વક્તા શ્રી અનિલપ્રસાદ રાવલ દ્વારા રસપાન કરાવશે.જોડિયા ખાતે કથામાં સમસ્ત હિન્દુ સમાજના પિતૃમોક્ષાર્થે કે જે ઓના પરિવારના નાના કે મોટા સભ્યો
 પોતાના ઘરે આવી મોટી કથા નો લાભ ન લઈ શકતા હોય. ત્યારે જો કોઈને પણ આ કથામાં પોતાના સ્વજનો ની પાછળ કથા માં ફોટા મૂકીને દરરોજ સેવા પૂજા ની વિના મૂલ્યે લઈ શકે છે.અને જે કોઈ પણ ની ઈચ્છા થાય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી  ના સ્વરૂપે યથાશક્તિ દેવામાંગતા હોય. તો અચૂક લેવા માં આવશે.ફ્રિ માં ધાર્મિક સ્થળ ઉપર આવો કથા નો લાભ મળે તો સારૂ ધન્ય ધન્ય થઈ જાય છે.મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા…………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
 ગામ :: હડિયાણા…………

IMG20230408115451.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *