મકસુદ કારીગર,કઠલાલ
યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા યુવરાજસિંહ જાડેજાને મુક્ત કરવા બાબતે તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માં આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર આવા વ્યક્તિના કાર્યને બિરદાવવાની જગ્યાએ ભ્રષ્ટાચારના ખુલાસા કરી રહ્યા છે જેથી તેમને ફસાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતના સૌ યુવાનો વતી આ આવેદન દ્વારા યુવરાજસિંહને મુક્ત કરવામાં આવે અને તેમના પર લગાવેલા ખોટા આરોપોમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગઅને રજૂઆત કરાઈ છે. અને આ બાબતે.યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.


