આજ રોજ હડિયાણા શ્રી ખભલાવ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર ના પૂજારી સ્વ.દિનેશભાઇ શ્રવણદાસ કુબાવત નું તા.05.05.2023 ના રોજ દુઃખદ અવસાન થયું હતું. તેમની પ્રથમ માસિક પુણ્ય તિથિ નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કૅમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું………………………………..
આ કેમ્પમાં મુખ્ય મહેમાન
ધરમસીભાઈ ચનીયારા (જા. જી.પ.પ્રમુખ).ઘનશ્યામભાઈ રાઠોડ (જો.તા.પ..ઉપ.પ્રમુખ).વલ્લભભાઈ ગોઠી (જો.તા.પ.કા. અધ્યક્ષ).નરોત્તમભાઇ સોનગરા (જો.તા.પ.સદસ્ય).ભાવેશભાઈ મકવાણા (જો.તા.પ.સદસ્ય).મયુરભાઈ નદાસણા (જો.તા.પ.સદસ્ય).જીવણસંગ પરમાર ( જોડિયા APMC ચેરમેન).રાજેશભાઈ મકવાણા (જો.APMC વાઇસ ચેરમેન).મયુરભાઈ ચનીયારા (જો.APMC સેકટરી).ભરતભાઇ પરમાર (હડિયાણા માજી સરપંચ).ચીતનભાઈ કલાવડિયા (હડિયાણા માજી સરપંચ )..મગનભાઈ કાનાણી ( હડિયાણા સેવા સ.મ.લી. પ્રમુખ). તમામ ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ અને તમામ મહાનુભાવો ને પુષ્પ ગુછ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યોહતો……………..
આ કેમ્પમાં B. T. સવાણી કિડની હોસ્પિટલ રાજકોટ ના ડો.જયશ્રીબેન ગોઢાણીયા અને અન્ય ડોક્ટર ની ટીમ.. નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ ડોકટર ની ટીમ..ગોકુલ હોસ્પિટલ રાજકોટ ડૉક્ટર ની ટીમ..અદિત્ય ડેન્ટલ હોસ્પિટલ રાજકોટ ડો.એન.એન.રાવલ. પ્રીતીબેન રાવલ.. વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ ડો.સોનલબેન વ્યાસ.ચીફ રાઇટર..મેડિકલ વિભાગ અનિલભાઈ વ્યાસ. યુરિક એસિડ ચેકઅપ રાજ વ્યાસ.અને નાથાણી ચેરીટેબલ ટ્રસ્ટ સચાલીત નાથાણી વોલન્ટરી બ્લડ બેક રાજકોટ દ્વારા તમામ લોકો એ ફ્રી નિદાન કેમ્પમાં સેવાઓ આપી હતી. અને આ કેમ્પમાં આશરે 250 જેટલા દર્દી ઓએ ભાગ લીધો હતો. જેમાં બ્લડ ડોનેશન માં આશરે 35 જેટલા લોકો એ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું…………
શ્રી ખભલાવ માતાજી મંદિર ના ટ્રસ્ટીઓ પકજભાઈ વ્યાસ રાજકોટ.. વિપુલભાઈ વ્યાસ રાજકોટ.. ઇલબેન રાવલ જામનગર.. લાલાભાઈ કુબાવત હડિયાણા. અને કૅમ્પ પૂર્ણ થયા બાદ તમામને મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું..અન્ય ટ્રસ્ટીશ્રીઓ અને ખભલાવ માતાજી મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.અને તમામ નો સાથ સહકાર પુરેપૂરો મળ્યો છે.. માતાજી મંદિરના ટ્રસ્ટીશ્રીઓએ તમામનો આભાર વ્યક્ત કર્યો છે…………
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………….


