જેઠાભાઈ છેલ્લા છ વર્ષથી નાળિયેરીના રોપાનું ઉછેર કરી તેનું વેચાણ કરે છે, તેઓ નાળિયેરીની બે જાતના રોપા તૈયાર કરે છે, જેમાં ડીટી અને ક્રોસબોનાના રોપા તૈયાર કરે છે. તેમની નર્સરીના રોપા જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ અને જામનગરમાં પણ ડિમાન્ડ રહે છે. ડીટીના એક રોપાના ૫૦૦ રૂપિયાના ભાવે વેચાણ અને ક્રોસબોના એક રોપાના ૧૫૦ રૂપિયાના ભાવે વેચાણ કરે છે. આમ, નર્સરી દ્વારા તેઓ વાર્ષિક પાંચ થી છ લાખની કમાણી કરે છે.
